ધરતી પુત્રોના કલ્યાણ માટે કિસાન સૂર્યોદય યોજના આશીર્વાદરૂપ છે – શ્રીમતી લીલાબેન આંકોલિયા

હિન્દ ન્યુઝ, મોડાસા

તા. ૦૮/ ૦૧/૨૦૨૧, અરવલ્લી જિલ્લાના મોડાસાના ભામશા હૉલ ખાતેથી કિસાન સૂર્યોદય યોજનાનો શ્રીમતી લીલાબેન અંકોલિયા દ્વારા શુભારંભ કરાયો.

અરવલ્લી જિલ્લાના મોડાસાના ૧૦૫ ગામોને કિસાન સૂર્યોદય યોજના હેઠળ આવરી લેવાશે.

ખેડૂતોને રાત્રે આવવા-જવા માટે પડતી મુશ્કેલીઓનો અંત આવ્યો – સંસદ સભ્ય દીપસિંહ રાઠોડ

અરવલ્લી જિલ્લાના મોડાસાના ભામશા હૉલ ખાતેથી ગુજરાત રાજયના મહિલા આયોગ શ્રીમતી લીલાબેન આંકોલિયા કિસાન સૂર્યોદય યોજનાને શુભારંભ કર્યો હતો.

                                 શ્રીમતી લીલાબેન આંકોલિયાએ “જય જવાન,જય કિસાન” ના નારા સાથે ખેડૂતોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતોને રાત્રે વીજળી મળી રહે તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે મહત્વની યોજનાની શરૂઆત કરી છે. અરવલ્લી જિલ્લામાં મુખ્યમંત્રીએ બાયડ ખાતેથી કિસાન સૂર્યોદય યોજનાની શરૂઆત કરી હતી. રાત્રે ખેડૂતોને ખેતરમાં પિયત વેળાએ ઝેરી જીવ-જંતુ અને જંગલી જાનવરોનો ડર રહેતો હતો. તેવી તમામ મુશ્કેલીઓનો અંત આવશે. રાજ્ય સરકારે જ્યોતિગ્રામ યોજના દ્વારા ૧૮ હજાર ગામોમાં વીજળી કરણ કર્યું છે. ખેડૂતો માટે પહેલા બિયારણ, સિંચાઇ અને વીજળીની અછત સર્જાતી હતી. પરંતુ સરકારે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી કૃષિક્ષેત્રે નવી ક્રાંતિ લાવ્યા છે. આ ઉપરાંત પાણી પુરવઠા, ગટરો, ૧૦૮ ઍમ્બ્યુલન્સ, રોડ રસ્તા, બહેનો માટેની ૧૮૧ અભયમ યોજના, આયુષ્યમાન સહિતની અનેકવિધ યોજનાઓ અમલી બનાવીને ધ્યાન રખાઇ રહ્યું છે.

શ્રીમતી લીલાબેન આંકોલિયાએ વધુમાં જણાવ્યું કે, જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી હતા, ત્યારે ગુજરાતમાં ઘણી યોજનાઓનો પ્રારંભ કરીને ગુજરાતને ઘણી અમૂલ્ય ભેટો આપી છે. વર્તમાન સમયમાં આપણે છેલ્લા કેટલાક મહિનાથી કોવિડ જેવી મહામારીથી ઝઝૂમી રહ્યા છીએ. ત્યારે આપણા વડાપ્રધાન, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી લોકોની વચ્ચે રહીને લોકોના પ્રશ્નોના હલ લાવવાના પ્રયાસ હાથ ધર્યા છે. વડાપ્રધાને લોકોને સારી સુવિધા મળી રહે તેની ચિંતા કરી છે.
શ્રીમતી મહિલા આયોગે જણાવ્યું કે, સરકારે મહિલાઓ માટે પણ અનેક યોજનાઓના લોકાર્પણ કર્યા છે. છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાતમાં અનેક ક્ષેત્રે વિકાસ થયો છે. પહેલાના સમયમાં પ્રસૂતિ દરમિયાન મહિલાઓને ઘણી તકલીફોનો સામનો કરવો પડતો હતો, પરંતુ હવે રસ્તાઓની સમસ્યા દૂર થઈ ગઈ છે. જેના કારણે તેમણે ઝડપથી હોસ્પિટલ પહોંચાડવામાં આવે છે. જેથી કરીને માતાના મૃત્યુદરમાં ઘટાડો થયો છે.

 

આ પ્રસંગે સંસદ સભ્ય દીપસિંહ રાઠોડે જણાવ્યું કે, “કિસાન સૂર્યોદય યોજના” નો શુભારંભ થવાથી ખેડૂતોને રાત્રે આવવા જવા માટે પડતી મુશ્કેલીઓનો અંત આવશે. સરકાર ખેડૂતો માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. વડાપ્રધાન નરેન્દ્ર ખેડૂતોને પિયત માટે દિવસે વીજળી મળી રહે તે માટેની યોજનાનો પ્રારંભ કર્યો છે. મુખ્યમંત્રી કટોકટીના સમયે ખેડૂતોના પડખે ઊભા રહી તેમની સમસ્યાનું સમાધાન કરે છે. તેમના સિંચાઇ-પાણી-વીજળી સહિતના પ્રશ્નોનું સરળ નિરાકરણ કર્યું છે.
આ પ્રસંગે સ્થાનિક અગ્રણી આગેવાનોએ તથા યુ. જી. વી. સી. એલ દ્વારા શ્રીમતી લીલાબેન આંકોલિયા, દીપસિંહ રાઠોડનું ડ્રાયફ્રૂટની કીટ આપી સ્વાગત કર્યુ હતું. આ કાર્યક્રમમાં જિલ્લા સમાહર્તા અમૃતેશ ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. અનિલ ધામેલીયા, ખેડૂતો તેમજ અગ્રણીઓ સોશ્યલ ડિસ્ટન્ટસ સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : મુન્ના ખાન પઠાણ, મોડાસા

Related posts

Leave a Comment